દસાડા તાલુકાના સસ્તા અનાજની દુકાનદારોએ વિવિધ પ્રશ્નો લઈ પાટડી મામલતદારને લેખિત રજૂઆત કરી
પાટડી સેવા સદન ખાતે પાટડી મામલતદાર પી.કે.મોઢવાડીયાને દસાડા તાલુકાના એફ.પી.એસ દુકાન ધારકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી આવા નવા સસ્તા અનાજ ની દુકાન ધારકો કમિશન સહિતની વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરતા હોય છે ત્યારે દસાડા તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ધારકોએ વિવિધ માંગણીઓને સાથે પાટડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ડી.એસ.ડી કોન્ટ્રાક્ટરની કામગીરી પૂર્ણ કરવા ન થતા તથા જુના કોટ્રાક્ટર કામગીરી કરવા માટે સહમત ન હોવાના કારણે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારને ગોડાઉનથી પોતાના વાહન દ્વારા જથ્થો લઈ જવા માટે કહેવામાં આવ્યું છે ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોચાડવાની જવાબદારી દુકાનદારની નથી એથી અમે નહીં લઈ જઈએ તેમ સસ્તા અનાજ દુકાન પરવાનેદારના દસાડા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું આગામી સપ્ટેમ્બર ૨૦૨૩નો અનાજનો જથ્થો નહીં લઈ જવામાં આવે તેવુ આવેદનમાં જણાવાયુ હતુ,આ ઉપરાંત મિનિમમ કમિશન ૨૦,૦૦૦- તથા ઘટ સહિતના વિવિધ પડતર પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી