પાટડી ખાતે ગુજરાતનો સૌ પ્રથમ નાર્ફેડ બજાર સ્ટોર કેન્દ્રીય મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો.
ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના દિશા નિર્દેશ હેઠળ સમગ્ર ગુજરાતમાં નાર્ફેડ દ્વારા ૫૦૦ થી વધુ નાર્ફેડ બજાર સ્ટોલ મુકવાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ સ્ટોલ સુરેન્દ્રનગર જિલ્લાના પા દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘને ફાળવવામાં આવ્યો જેનુ પાટડી ખાતે ૨૧ ઓગસ્ટ ૨૦૨૩ સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાનાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે ડૉ. મુંજપરા એ જણાવ્યું કે “કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રજાજનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે મળી રહે તથા સહકારી પ્રવૃત્તિને વેગ મળે તે માટે નાર્ફેડ દ્વારા સ્ટોલ શરૂ કરવામાં આવી રહ્યાં છે,જે થી નાનાં અને મધ્યમ વર્ગ નાં પરિવારો ને આ સ્ટોલ થી ખૂબ ફાયદો થશે”
યોજાયેલ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપનાં પ્રભારી દિલીપ પટેલ,પાટડી નગરપાલિકા પ્રમુખ મૌલેશ પરીખ,જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, સંઘનાં ચેરમેન વરસંગભાઈ ગોહિલ, રશ્મિભાઈ રાવલ, સોનાજી ઠાકોર,એ.પી. એમ. સી.ચેરમેન શૈલેષ પટેલ,ગુજકોમાસોલના ડિરેક્ટર ઇશ્વરભાઈ પટેલ, જેશીંગભાઈ ચાવડા, દૂધ ડેરીના પૂર્વ ડિરેક્ટર સુરાભાઈ રબારી તથા તમામ સહકારી સંસ્થાનાં ચેરમેન તથા ડિરેક્ટરો, નાર્ફેડનાં આર.એમ. શંકરજી શ્રીવાસ્તવ, ડી.એમ.આર. પાંડિયન સહિત મોટી સંખ્યામાં દસાડા તાલુકા ગ્રામ્ય અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.