જાણવા જેવુ

પાટડી માનવસેવા ગ્રુપ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી

અહીંથી શેર કરો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સેવાભાવી મહિલાને એરવાડા ગામના નિરાધાર વૃદ્ધાની સ્થિતિ દયનીય હોવાનું જાણવા મળતા એરવાડા ગામે પહોંચી સરપંચની મદદથી વૃદ્ધાને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા

મળતી માહિતી મુજબ એરવાડા ગામના દંપતીનો પુત્ર અવસાન થયા બાદ પુત્રના બે સંતાનને સાચવી રહ્યા છે તેમની સ્થિતિ પણ સારી ન હોવાનું સામે આવતા જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા પાટડી માનવસેવા ગ્રુપના હેતલ રાઠોડ,નબુબેન મકવાણા ભરત મકવાણા અને ખોડાભાઈ રાઠોડની ટીમ લોકો દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવાઈ હતી આ સમયે જાણવા મળ્યું હતું કે વૃદ્ધાને કોઈ ઝેરી જંતુએ પગમાં ડંખ દિધો હતો તેની પણ તેઓ સારવાર કરાવી શક્યા ન હતા તેથી સરપંચની મદદથી સુરેન્દ્રનગર હોસ્પિટલ પહોંચાડેલ હતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *