પાટડી સરકારી પુસ્તકાલય ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું
પાટડી સરકારી પુસ્તકાલય ખાતે ગુજરાત રાજ્ય રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગનાં નિયામક ડૉ.પંકજભાઈ ગૌસ્વામી ગ્રંથાલય ખાતું ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ ૨૮ ઓગસ્ટ સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું હતુ જેમાં પાટડી શ્રી સુરજમલજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરાએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, પ્રસંગે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું યોજવામાં આવેલ પુસ્તક પ્રદર્શનમા શ્રી સૂરજમલજી હાઇસ્કૂલનાં આચાર્ય વીણાબહેન ચૌધરી, શિક્ષણ રાજેન્દ્ર મહેતા,અજમલ ડોડીયા,ચિંતન મહેતા, સહદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા પુસ્તક પ્રદર્શનનુ આયોજન મદદનીશ ગ્રંથપાલ ડૉ.અલ્કેશ મોદી દ્વારા કરાયુ હતુ