પાટડી સુરજમલજી હાઈસ્કૂલ દ્વારા ખાદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટડી ખાતે આવેલ ખારાપાટની મીઠી વિરડી સમાન સુરજમલજી હાઇસ્કૂલના સ્ટાફ ગણ દ્વારા ખાદી વિશે વિદ્યાર્થીઓ જાગૃત થાય અને સ્વદેશી અપનાવે તેવા હેતુથી વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું, છે ખાદીનું મહત્વ,ખાદીનાં વસ્ત્રો પહેરવાના ફાયદા,ખાદીની ખરીદી કરવાથી ખાદી વણાટના કારીગરોના પરિવારોને મળતી રોજગારી વિશે તેમજ સ્થાનિક ઉત્પાદનને મહત્વ આપવાના અભિગમ વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દરેક વ્યક્તિ ખાદીના વસ્ત્રો અને કાપડનો ઉપયોગ કરવા માટે હંમેશા આગ્રહ સાથે ભાર મૂકી રહ્યાં છે. ત્યારે સુરજમલજી હાઈસ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ, સ્પર્ધામાં આશરે પંચીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,સ્પર્ધામાં વિજેતાને આચાર્ય વીણાબેન ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા, યોજાયેલ કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકો રાજેન્દ્રભાઈ, મનીષાબેન,શોભનાબેન,ગૌરાંગભાઈ, અક્ષયભાઈ, ચિંત મહેતા સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.